મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારના પરિપત્ર અનુસાર, હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે.

મહેસુલ વિભાગ સંબંધિત 54 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 જેટલા પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ 20 રૂપિયા ચૂકવવાના રહેશે.

